કવાટ ગાયત્રી મંદિરના પટાંગણમાં પાવી જેતપુર વિધાનસભાનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભાઓમાં નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકબીજા સાથે મળી શકે તે માટે સ્નેહમિલન સમારંભો યોજવાના કરાયેલા આદેશ અનુસાર 138 પીવી જેતપુર વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ કવાંટ ખાતે ગાયત્રી મંદિરના પટાંગણમાં છોટાઉદેપુર જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડ ના ચેરમેન રામસિંગભાઈ રાઠવા વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ ડી.એફ.પરમાર રમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનો તાલુકા ભાજપ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ તેઓના કાર્યાલયથી કાર્યક્રમ સ્થળ સુધી ઢોલ નગારા ડીજેના તાલ સાથે મહાનુભાવો ને રેલી સ્વરૂપે લઈ જવામાં આવ્યા હતા. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા અપાયેલા આમંત્રણ ને માન આપી મોટી સંખ્યામાં લોકો સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો એ તમામ કાર્યકરો ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here