ઉમરેઠ, (આણંદ) દિલીપ એસ પટેલ :-
આણંદ જીલલા ના ઉમરેઠ તાલુકા ના બાજીપુરા ગામે – તારીખ – ૦૩.૦૩.૨૦૨૩ ને શુક્રવાર ના દિવસે શિવ શક્તિ કેળવણી મંડળ બાજીપુરા શાળાનો વાર્ષિકોત્સવ અને ધો.૧૦ અને ૧૨ ના બાળકોનો વિદાય શુભેચ્છા સમારોહ તથા શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ એન પટેલ .નો નિવૃત વિદાય સમારંભ નુ આયોજન કરવામા આવ્યુંહતું.. આ પ્રસંગે આચાયઁ શ્રી ઈલાબેન ઉપાધ્યાય , કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ,ભુપતભાઈ ,સોમાકાકા ,ભગુભાઈ તથા આમંત્રિત મહેમાનો ખાસ પધારેલ . ઉપસ્થિત સૌ મહેમાનો નુ ફુલહાર થી સ્વાગત કરવામા આવ્યું , શાળા ની બાળા ઓએ સુંદર પાર્થનાગીત તથા આવકાર ગીત રજુ કર્યું . શ્રી ગીતાબેન પ્રજાપતિ ,આશાબેન, વિમળાબેન,તથા વડીલો એ શાળા ના બાળકો ને પરીક્ષા ની શુભેચ્છા પાઠવી.નિવૃત થયેલ શ્રી રમેશભાઈ એન . પટેલ ની શાળાકીય પ્રવૃત્તિ ઓની પ્રસંસા કરવામાં આવી . શાળા ના વિધારથી શાહબાજ મલેક તથા વિધારથની ઇશાન અંશારી એ શાળા ના પોતાના પ્રતિભાવ આપ્યા . આ પ્રસંગે સૌ ની આંખો ભીની થઈ ગઇ .-આ કાર્યકમ નુ સંચાલન શિક્ષક રતિભાઈ એ કર્યું અને તેમને શાળા નાસૌ સ્ટાફગણે સાથ સહકાર આપ્યો .આ કાર્યકમ મા સૌના ચ્હેરા પર આનંદ,ઉત્સાહ જેાવા મળ્યો .આચાયઁશ્રી એ સૌનો આભાર માન્યો . કાર્યકમ ના અંતે શાળા ના નિવૃત આચાયઁશ્રી રમેશભાઈ એન પટેલ તરફ થી શાળા ના બાળકો અને શિક્ષકોએ તથા આમંત્રિત મહેમાનેા એ સાથે મળી ને ભોજન ગ્રહણ કર્યુ