બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-
સંખેડા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી એસટી ડેપો મેનેજર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ સંખેડા એસટી ડેપોમાંથી ૧૩ જેટલા રૂટો એસટી વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને આ રૂટો શા માટે બંધ કર્યા છે જેનું કોઈ કારણ ન હોય ૧૩ જેટલા એસ.ટી.ના રૂટો બંધ કરવાથી સામાન્ય નાગરિકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો ખૂબ પરેશાન છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બોડેલી એસટી ડેપો માં જઈને એસટી મેનેજરની આવેદનપત્ર આપી આ રૂટો ફરી શરૂ કરાવવા માટે માંગ કરી હતી બોડેલી aap પ્રમુખ એ વધુમાં જણાવ્યું હતું કે હાલની ચાલુ સરકારને આ આમ પ્રજા અને ખેડૂતોએ મત આપીને વીજેતા કર્યા છે પણ સરકારને ખેડૂતોની આમ પ્રજાની કઈ પડી નથી તેમ લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું અને વહેલી તકે આ તે રૂટો ચાલુ કરવામાં આવે તેમ બોડેલી પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો જણાવ્યું હતું.