આગામી તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ ગોધરા સ્થિત બી.આર.જી.એફ ભવન ખાતે રોજગાર નિમણુંક પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આગામી તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ ગોધરા સ્થિત બી.આર.જી.એફ ભવન હોલ ખાતે સવારે ૯ કલાકે જિલ્લા વહીવટી તંત્ર અને રોજગાર કચેરીના ઉપક્રમે તથા રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર તથા જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીની ઉપસ્થિતીમાં રોજગાર/ એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લામાંથી રોજગારી મેળવેલ ઉમેદવારોને નિમણુંકપત્ર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here