નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજે નસવાડી ખાતે તણખલા ચોકડી પર ડૉ.ભીમરાવ આંબેડકર ની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યુ જેમા છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને સંખેડા ધારાસભ્ય શ્રી અભેસિંહભાઈ તડવી તથા ગ્રામજનો દ્રારા કરવામા આવ્યુ હતુ આજે આ કાર્યક્રમ બપોરના સમયે કરવામા આવ્યો હતો પહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમ બાદ આ પ્રતિમાનુ લોકાર્પણ કર્યું હતુ અને દલિત સમાજના આગેવાન એવા દલાભાઈ જેઠાભાઈ અને ગોવિંદભાઈ જેઠાભાઈ તથા સમસ્ત દલિત સમાજ હાજર રહ્યો હતો અને પધારેલા ભાજપ પાર્ટીના પ્રતિનિધિઓ તથા ગ્રામજનો હાજર રહી આ કાર્યક્રમને અંજામ આપ્યો હતો.