મહુધા,(ખેડા) રહીમ ચૌહાણ :-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાસનધુરા સંભાળ્યાના 7 વર્ષ પૂર્ણતા નિમિત્તે મહુધા ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી.મહુધા કોલેજ ખાતે યોજાયેલ શિબિરમાં મહુધા શહેર તેમજ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.મહત્વનું છે કે હાલ ભાજપ દ્વારા વિવિધ સેવા કાર્યો કરીને નરેન્દ્ર મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ખેઙા જિલ્લા ભાજપ સંગઠન ના પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ ખેડા જિલ્લાના ઉપપ્રમુખ મહુધા તાલુકાના પ્રભારી રાજનભાઈ ભાઈ દેસાઈ યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ યુવા મોરચાના પ્રદેશ મંત્રી શૈલેષભાઈ નાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહુધા ભાજપ સંગઠનના પ્રમુખ નિલેષભાઈ પટેલ ખેડા જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા ખેડા જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા મહુધા તાલુકા ના મહામંત્રી નરસિંહભાઈ ભોજાણી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ મહુધા શહેરના પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ મહુધા નગરપાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા