બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના વરીષ્ઠ ગણાતા નેતા મોહનસિંહ રાઠવા એ કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાતા ત્યારે સુખરામભાઇ રાઠવા પણ પક્ષ પલટો કરશે તેવી અફવા થઈ ત્યારે સુખરામભાઈ રાઠવા એ પત્રકાર પરિષદ યોજી ને કહ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે કેટલા બધા સમીકરણો બદલાતા હોય છે કેટલાક લોકો કોંગ્રેસમાં આવે છે અને કેટલાક લોકો ભાજપમાં પણ જોડાય છે પક્ષ બદલવાચૂંટણીની એક રણનીતિ છે સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હું પાર્ટી છોડવાનો નથી અને હું પાર્ટીની જોડે જ છું સુખરામભાઇ રાઠવા એ કહ્યુ તેઓ ૧૯૮૫ થી છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય હતા ૧૯૮૫ થી ૨૦૦૨ સુધી છોટાઉદેપુર પ્રતિનિધિત્વ કર્યું છે સુખરામભાઇ રાઠવા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ અને હું મરીશ ત્યારે કોંગ્રેસનું કફન ઓઢીશ એવું સુખરામભાઈ રાઠવા એ જણાવ્યું હતું.