કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નવાપુરા વિસ્તાર રોડ ઉપર એક વીજ થાંભલા પર છેલ્લા વીસ દિવસથી એક વાનર વીજ થાંભલા પર કરંટ લાગવા થી આ વાંદરાનું મૃત્યુ નીપજ્યું હતું સ્થાનિક નાગરિક દ્વારા કાલોલ ની જીઇબી ની ઓફિસમાં લેખિતમાં કમ્પ્લેન પણ નોંધાવી છે કમ્પ્લેન ને વીસ દિવસ થયા છતાં આ વાનર ની લાશ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યું નથી તંત્ર દ્વારા આ મંગળવારે આવીશું, પેલા મંગળવારે આવીશું તેમ જણાવાય છે અને એવું પણ કહે છે કે આ વીજ પોલ ઉપર હેવી લાઇન જતી હોવાથી ઓફિસે જાણ કરી ઉતારી લઈશું અપને પણ ઘણા દિવસ થવા આવ્યા છતાં પણ આ વાનરને વીજ પોલ ઉપરથી હજુ ઉતારવામાં આવ્યું નથી તો સ્થાનિકોમાં આ બાબતે ઉગ્ર રોષ છે હિન્દુ ધર્મમાં વાનર ને હનુમાનજીનું રૂપ ગણવામાં આવે છે જેથી હિંદુ સમાજની લાગણી દુભાઈ છે. આ વાનરને જો વીજ તંત્ર દ્વારા વહેલી તકે ઉતારી લેવામા આવે અંતીમ ક્રિયા કરવામા આવે તો વાનર ને મોક્ષ મળે તેવુ સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે.