કોરોના વાયરસને અટકાવવા શહેરા નગરપાલિકા વિસ્તારમાં રવિવારના રોજ દુકાનો બંધ રાખવા પાલિકા તંત્રએ દુકાનદારોને સૂચના આપી
નગરપાલિકા દ્વારા કોરોનાવાયરસના અગમચેતીના ભાગરૂપે અઠવાડિયામાં એક દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો
શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારના દુકાનદારોને રવિવારના રોજ નગરપાલિકા તંત્ર દ્વારા ઓડિયો વાયરલ કરી પોતાની દુકાનો ફરજિયાત બંધ રાખવાની સુચના આપવામાં આવી છે સાથે એવી જ પણ સુચના આપવામાં આવી છેકે નગરપાલિકા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિની દુકાન ખુલ્લી હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી દુકાન સીલ કરવામાં આવશે તેવું પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.