પંચમહાલ જિલ્લામાં વધુ ૨૪ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૨૪ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ કાછિયાવાડ, ગાંધી-પુરાણી ફળિયા, તળાવ ફળિયા-૦૨, કાલોલ તાલુકામાં વેજલપુર ગામમાં સમાવિષ્ટ હરિજન વાસ, જૈન દેરાસર, હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામના સાંઈ સુધા કોલોની, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ આમ્રપાલી સોસાયટી, નીલકંઠ સોસાયટી, નીલકંઠ સોસાયટીનો વિસ્તાર, કેશવપાર્ક-૦૨, સિદ્ધિ વિનાયક સોસાયટી-૦૩, ઘોઘંબા તાલુકાના આંકલવા ગામમાં સમાવિષ્ટ શીમળા ફળિયા, શહેરા તાલુકાના નાડા ગામમાં સમાવિષ્ટ ડેરી ફળિયા, રેણા ગામમાં સમાવિષ્ટ પટેલ ફળિયા, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ભોઈવાડા-૦૨, વૃંદાવન નગર-૦૧-અનો વિસ્તાર, આશિષનગર સોસાયટી, મોચી સોસાયટી, હલીમા મસ્જિદ, સોનીવાડ-૦૨, મદીના સોસાયટી-૦૧, ભાટવાડાનો વિસ્તાર, અબ્રરાર મસ્જિદ, મુસ્લિમ-બી સોસાયટી, આનંદનગર-સી સોસાયટી વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here