૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે પોતાના નિવાસસ્થાન ખાતે રાષ્ટ્રઘ્વજને સલામી આપીને ધ્વજવંદન કર્યું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે સૌપ્રથમ પોતાના નિવાસ સ્થાન ખાતે રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી.આ સાથે કલેકટર કચેરી, ગોધરા ખાતે હર્ષોલ્લાસ સાથે કર્મચારીશ્રીઓ/અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ધ્વજવંદન વખતે નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણા,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here