રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
રાજપીપળા ખાતે ની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સંતોષ ચોકડી પાસે ખસેડવામાં આવી
રાજપીપળા ખાતે દાયકાઓથી ચાલતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્ટેશન રોડ કન્યાશાળા સામે ની મુખ્ય બ્રાનચ ના સરનામાં મા સોમવારથી ફેરફાર થવાનુ બેંક ના મેનેજર તરફથી જાણવા મળ્યું છે, હાલ જે સ્થળે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કાર્યરત છે એ સ્થળ મા સોમવારથી ફેરફાર થવાનુ બેંક ના મેનેજરે જણાવ્યું હતું.
રાજપીપળા ખાતે ચાલતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કીરાયા ના મકાન ભા દાયકાઓથી એક સથળે ચાલી રહી હતી , જે ઇમારત મા બેંક ચાલતી તે ઇમારત નુ મુળ માલિકો એ વેંચાણ કરતા બેંક ને પોતાની ભાડાં ની જગ્યા ખાલી કરવાની ફરજ પડી હતી. બેંક સોમવાર થી સંતોષ ચોકડી પાસે પોતાની તમામ પ્રકાર ની કામગીરીઓ શરું કરસે.નવી ઇમારત મા બેંક નુ સ્થળાંતર થતા ગ્રાહકો એ હવે સંતોષ ચોકડી પાસે બેંક ના નવા સરનામે નાણાંકીય લેવડ દેવડ સહિત ની તમામ કામગીરીઓ અર્થે જવુ પડસે.