કેવડીયા કોલીની,(નર્મદા) આશિક પઠાણ :-
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર સુરક્ષા જવાનો ની પરેડ નું રિહર્સલ કરવામાં જવાનો મસગુલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ જયંતિ નિમિત્તે તા ૩૧ મી ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુરક્ષા જવાનો ની ભવ્ય પરેડ નું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરક્ષા જવાનો એ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કમર કસી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના સુરક્ષા જવાનો રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ માં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ઉપસ્થિત રહેવાના નથી પરંતુ ગૃહ મંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જેથી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જવાનો એ પરેડ ના રિહર્સલ કર્યા હતા.દેશ ના વિભિન્ન ભાગો માંથી આવેલ સુરક્ષા જવાનો ની પરેડ રાષ્ટ્રીય એકતા ને ખરા અર્થમાં ઉજાગર કરે છે .