સાવરકુંડલા,(અમરેલી) હિરેન ચૌહાણ :-
સાવરકુંડલા માનવ મંદિર અમરેલી નેત્ર ચિકિત્સા કોલેજ ઓફ નર્સિંગ ની 50 જેટલી બહેનો અભ્યાસ વર્ગ માટે આવી છે ખાસ કરીને નર્સિંગ કોર્સ માં મનોરોગી બહેનો ની રહેણીકરણી અને કઈ ટ્રીટમેન્ટથી કેવા વાતાવરણથી આ માનવ મંદિર ખાતે મનોરથ બેહના સાજી થાય છે તેના અભ્યાસ માટે આવી પહોંચી છે અને તેમને આપવામાં આવતી સારવાર દવા તેમને આપવામાં આવતું ભોજન કઈ રીતે રહે છે કેવી વાતો કરે છે તે બધું જ નિરીક્ષણ અને અભ્યાસ કરી રહી છે આ પહેલા અમરેલીની અન્ય નર્સિંગ કોલેજો અને રાજકોટની નર્સિંગ કોલેજની બહેનો આ અભ્યાસ માટે આવી ચૂકી છે ત્યારે સાવરકુંડલા નું માનવ મંદિર સૌરાષ્ટ્ર માટે મનોરોગી ના અભ્યાસનું કેન્દ્ર બની ગયું છે.