સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના રીત રિવાજ મુજબ સમગ્ર બજારમાં રેલી કાઢવામાં આવી
આ વખતે આદિવાસી સમાજ દ્વારા મણિપુરમાં થયેલ મહિલા પર અત્યાચાર અને સુરતમાં આદિવાસી બાળકીઓ પર થયેલા બળાત્કાર અને મધ્યપ્રદેશ માં પેશાબ કાંડ જેવા અત્યાચારોને ધ્યાને લઈને સંખેડા મામલતદાર શ્રી વી જે શાહ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા 24 કલાકમાં જ રેલી કાઢવાની પરમિશન આપવામાં આવી હતી તેને લઈ ને આદિવાસી સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંખેડા ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી રેલી કાઢી ને કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાન યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી જે સંખેડા જૂના દવાખાને થી મેન બજાર રહીને ભાથીજી ના મંદિર ચોકડી સુધી આદિવાસી સમાજ દ્વારા સૂત્રો ચાર કરી રેલી કાઢવામાં આવી હતી.