સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ડી બી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડામાં મતદાન જાગૃતિ અંગેનો સંદેશ નાટક દ્વારા આપવામાં આવ્યો હતો છોટાઉદેપુર કલેક્ટર તથા વહીવટી તંત્ર અને સ્વીપ નોડલ જિલ્લા શિક્ષણાધિકારીની માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગેનું અભિયાન સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યું છે મતદાન જાગૃતિ અંગેના બેનર દ્વારા યુવા અને નવા મતદારો જાગૃત બને તે માટે અપીલ કરવામાં આવી હતી આળસ છોડી પહેલા મતદાનની સમજ આપવામાં આવી હતી
શાળાના આચાર્ય ચિરાગ શાહ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના માતા પિતા પાડોશી વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધારેમાં વધારે મતદાન પોતાના ગામમાંથી થાય તેવા પ્રયત્ન કરવા માટે સૌને પ્રોત્સાહિત કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી.