શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના આગેવાનોની એક બેઠક પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં યોજવામાં આવી.
વિવિધ ગામોના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પાંત્રીસ જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
પંચમહાલ જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, શહેરા તાલુકા સંગઠનમંત્રી અરવિંદભાઈ માછી તથા પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ એ બેઠકને સંબોધીત કરી હતી.
લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, શહેરા તાલુકામાંથી ગામે ગામ થી આગેવાનો અને લોકો આમ આદમી પાર્ટીની બેઠક માટે આવકારે છે એથી સ્પષ્ટ જણાઇ આવે છે કે શહેરામાં હવે પરિવર્તન જનતા માંગી રહી છે. હવે જનતાનો આશાવાદ આમ આદમી પાર્ટી પ્રત્યે જાગ્યો છે ત્યારે હવે આપણે વધારે મહેનત કરી લોક સંપર્ક અને લોક સંવાદ કરી પરિવર્તન લાવવા જન આંદોલન ઉભું કરવું પડશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here