શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
શહેરા તાલુકાના અણીયાદ ક્લસ્ટરમાં આવેલી ગુવાલીયા પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં ધો.3 થી 5 ના શિક્ષકોનો રિફ્રેશમેન્ટ વર્કશોપ યોજાયો. સ્વાગત પ્રવચન અજમાન શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.કલ્પેશ આર.પરમારે ધો.3 થી 5 ના શિક્ષકોની વર્તમાન કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવી પ્રાસંગીક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શાળા પુસ્તકાલય, ગુણોત્સવ 2.O ના મુખ્ય ચાર ક્ષેત્રોના 64 પેટા ક્ષેત્રોને પ્રાધાન્ય આપવું, સંદર્ભ સાહિત્ય, આદર્શ પાઠ અને FLN (પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન) સંદર્ભે વિશેષ આયોજન કરી વિદ્યાર્થીઓના લર્નિંગ લોસ દૂર કરવા આહ્વાન કર્યું હતું. અણીયાદ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભુપેન્દ્રસિંહ વખતસિંહ સોલંકીએ માઈક્રોસોફ્ટ ટીમ્સ, G-SHALA, DIKSHA link, Youtube અંતર્ગત શૈક્ષણિક વીડિયો તેમજ ચેનલ બનાવવી, DD ગિરનાર સમયપત્રક ગામમાં જાહેર સ્થળો પર ચોંટાડવા, TLM, સ્વચ્છતા, વર્ગમાં પૂર્વ આયોજન કરવું, Whatsapp સ્વ – મૂલ્યાંકન, વિષયવસ્તુ, શાળા બહારના બાળકોની શોધવા વગેરે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. પ્રજ્ઞા બી.આર.પી.નરેન્દ્રભાઈ બારીઆ, અણીયાદ પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ, ગુણેલી સી.આર.સી.કો.ઓર્ડીનેટર નટવરસિંહ ચૌહાણ તેમજ ક્લસ્ટરની તમામ શાળાઓના ધો.3 થી 5 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ બીડ ફળીયા પ્રા.શાળાના આચાર્ય દોલતસિંહ કાળુભાઈ પગીને DIKSHA ના 100 થી વધુ પ્રમાણપત્રો મેળવવા તેમજ શાળા કક્ષાએ શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી અભિવાદન કર્યું હતું. અણીયાદ ક્લસ્ટરના આચાર્યો તેમજ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકીના FLN સંદર્ભે વિશિષ્ટ આયોજન તેમજ શહેરા શિક્ષણ પરિવારની ઉત્કૃષ્ઠ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. માર્ગદર્શન વર્કશોપ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.