રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે યુવા મોરચા દ્વારા કાર્યક્ર્મ યોજાયો
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત નમો નવમતદાતા સંમેલનમાં દેશના યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતુ, સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા તાલુકા યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને સદસ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, પ્રદેશ ભાજપ આદિવાસી મોરચા ઉપાધ્યક્ષ શંકરભાઈ વસાવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર, તાલુકા ભાજપ પ્રમુખ ઇશ્વરભાઇ, મહામંત્રી ધર્મસિંહભાઈ, યુવા મોરચા પ્રમુખ પિયુષભાઈ, બાંધકામ સમિતિ ચેરમેન, જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા, કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી નીલાબેન સહિતના પ્રાધ્યાપશ્રીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.