રાજકોટ જિલ્લાના ધોરાજી નાયબ કલેક્ટર ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત પગાર ચૂકવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

કોરોના ની ગંભીર પરિસ્થિતિમાં લોકો ઘરમાં હતા ત્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદાર જીવના જોખમે પોતાના આરોગ્યની પરિવારની ચિંતા કર્યા વગર હોસ્પિટલમાં સફાઈ કામ તેમજ દર્દીઓની સેવા કરી રહ્યા હતા અને જ્યારે કોરોના ની બીજી લેહેર પૂરી થઈ ગય અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને છૂટા કરી એના પણ લગભગ દોઢ-બે મહિના થઇ ગયા છે અને સફાઇ કામદારને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જો આ કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરને પગાર વિશે મૌખિક રજૂઆત કરવામાં આવે તો હજુ બિલ નથી આવ્યા સાહેબ આવી ગંભીર મોંઘવારીમાં અમારા જેવા નાના સફાઈ કામદારોના બે મહિના થી પગાર ચૂકવવામાં આવતો નથી અમારા ઘરનું તંત્રકઈ રીતેચાલે જેને લઇને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તે બાબતે ધોરાજીના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here