કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
મોહદ્દીસે આઝમ મિશન કાલોલના ખિતમત ગુજારોએ મોહર્રમ પર્વ નિમિતે હજરત ઇમામ હુશૈન(ર.અ.)ની યાદમાં વિવિઘ દવાખાનાઓમાં જઇ દર્દીઓને ફ્રુટ વિતરણની વ્યવસ્થા કરી હતી અને સેવાકીય ભાવના ધરાવતા મિશનના કાર્યકરોએ પોતાના હાથે સરકારશ્રીના આદેશ પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ રાખી તેમજ માસ્ક પહેરીને ફ્રૂટનું વિતરણ કરવવામાં આવ્યુ હતુ મોહર્રમના આ યાદગાર દિવસોમાં ગુરુજીના આદેશથી કોઈપણ ભેદભાવ વગર ફ્રુટનું વિતરણ કરી આ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમા કાલોલ મોહદી્સે આઝમ મિશન બ્રાંચના કાર્યકર હાફિઝ ખલીલ અશરફી સાથે રફીકબેગ મીરઝા સહિત કાલોલ મોહદ્દીસે આજમ મિશન બ્રાંચના મુસ્લીમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.