મોરબી : શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા બહેનો માટે પાર્લર અને સીવણ તાલીમ કેન્દ્ર ખુલ્લો મુકાયો

મોરબી, આરીફ દીવાન :-

સંસ્થા દ્વારા મોરબીમાં આવેલા બાપા સીતારામ ચોક રવાપર રોડ ખાતે બ્યુટી પાર્લર અને સીવણ ની સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે નું આધુનિક તાલીમકેન્દ્ર મોરબી ના લાભાર્થી બહેનો માટે સંસ્થા ના ટ્રસ્ટીઓ અને સરકારી વિભાગીય પ્રતિનિધિઓ ની પ્રેરક ઉપસ્થિતિ માં રોજ ગત તા ૨ જૂન ના રોજ દીપ પ્રગટાવી ને ખુલ્લું મુકાયું હતું .સંસ્થા દ્વારા આ અગાઉ વાવડીરોડ જનક નગર ખાતે પ્રિયાશી પાર્લર એન્ડ,ચોલી પોઇન્ટ નું સંચાલન કરવામાં આવતું હતું, હાલ માં આ સ્થળ બદલી ને આધુનિક બ્યુટી પાર્લર અને ચોલી પોઇન્ટ સાથે પાર્લર ની તથા સીવણ તાલીમ માટે ખાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે સંસ્થા ના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી .એ જણાવ્યું કે,આ કેન્દ્ર મહિલા ઉત્કર્ષ અને સ્વાવલંબન માટે ના ખાસ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.આ તકે નગર પાલિકા એન યુ એલ એમ વિભાગ ના મેનેજરો હરેશભાઈ, ખડોદરા , ચિરાગભાઈ,વાઢેર, રવિભાઈ , જયેશભાઈ,બાંધકામ શ્રમિક નાહરેશભાઈ મકવાણા , પી.એમ.કેવિવાય ના નરેશભાઈ, બાળ વિકાસ ના કો ઓરડીનેટર આરતી બેન રત્નાણી, કેન્દ્ર સંચાલક અસ્મિતા ગોસ્વામી સહિત ના ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here