મોરબીમાં જયસુખભાઈ પટેલ દ્વારા 51 મો ફ્રી એક્યુપ્રેશર કેમ્પ યોજવામાં આવ્યો…

મોરબી, આરીફ દીવાન :-

148 દર્દીઓએ બે દિવસમાં લાભ લીધો”

મોરબી અહીં આવેલા જુના બસ સ્ટેન્ડ નજીક ના બેંક ઓફ બરોડા ની બાજુમાં આવેલા મુન શોપિંગ ખાતે 51 માં એક્યુપ્રેશર ફ્રી વિધાન કેમ્પ યોજાયો હતો જેમાં દર મંગળવારે અને ગુરુવારે એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ જયસુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે જે 51 માં ફ્રી નિદાન કેમ્પ તારીખ 23 2 2023 ના રોજ યોજાયેલ હતો તેમાં બે દિવસ સુધીમાં 198 વ્યક્તિઓએ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો છે અને જ્યારથી આ કેમ્પ શરૂ કરેલ છે ત્યારથી દર મંગળવારે અને ગુરુવારે આશરે 80 થી 90 જેટલા દર્દીઓ સારવાર મેળવતા હોય છે જેમાં મોરબી જામનગર જુનાગઢ ચોટીલા સુરેન્દ્રનગર અમેરિકા થી પણ અહીં સારવાર નો લાભ દર્દીઓ લઈ રહ્યા છે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ના લોકો ફ્રી નિદાન કેમ્પનો લાભ લઈ રહ્યા છે જેમાં વિવિધ સાંધાના દુખાવા કમરના દુખાવા મણકાના દુખાવા સ્નાયુ ના દુખાવા હાડકાના દુખાવા વિગેરે દુખાવા દૂર કરી માનદ સેવા આપી રહ્યા છે આ એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકો વિગેરે લાભ લઈ રહ્યા છે જે સેવાભાવી જયસુખ ભાઈ પટેલ એક મુલાકાતમાં જણાવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here