મોરબીમાં કાશી વિશ્વનાથ મહાદેવની ભક્તિ કરતા શિવરાત્રી નિમિત હર હર મહાદેવથી રામધુન આશ્રમ ગુંજી ઉઠયું..!!!

મોરબી, આરીફ દીવાન :-

મોરબી અહીં આવેલા મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સાથે ધાર્મિક કાર્ય માં સતત વ્યસ્થ આસ્થા ભેર શ્રદ્ધાળુ દેવોના દેવ મહાદેવ શિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મહાદેવ ના દર્શન કરતાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં રામધન આશ્રમ ખાતે હર હર મહાદેવ ના જાપ થી ગુંજી ઉઠ્યું હતું આરતી પૂજા પાઠ પ્રાર્થના સાથે ધાર્મિક વિધિ કાર્યક્રમ રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માતાજી તેમજ મુકેશ ભગત સહિત સમગ્ર રામધન આશ્રમ ના સેવકો દ્વારા પ્રસાદ સહિત ની વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં શિવ ભક્તો દ્વારા શિવરાત્રી નિમિત્તે દેવોના દેવ મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે રામધન આશ્રમ ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિરમાં દર્શન પૂજા પાઠ કરતા ભક્તો તસવીરમાં દ્રશ્યમાન થાય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here