મોડાસા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જી જાડેજાના નેતૃત્વ હેઠળ વિશાળ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગતરોજ તારીખ 26/8/2022 ને શુક્રવારના રોજ મોડાસા મુકામે રોજગાર ગેરંટી યાત્રા અંતર્ગત યુવા નેતા યુવરાજસિંહ જી જાડેજા ના નેતૃત્વ હેઠળ વિશાળ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું જેમાં 31 વિધાનસભા ના સંગઠન મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણ , જયદીપ સિંહ ચૌહાણ ( જો . સેક્રેટરી પ્રદેશ .આમ આદમી પાર્ટી ) , ગિરીશભાઈ ડુશા ( જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી ) , ઉસ્માનભાઈ લાલા વાય . સુથાર ( માઈનોરીટી જિલ્લા પ્રમુખ .આમ આદમી પાર્ટી ) , દેવેશભાઈ રુચિર ( ઇજનેર ) સુથાર ઇલિયાસભાઈ આઈ.તેમજ વિવિધ વિધ્યાર્થી સંગઠન અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા . સાથે રખિયાલ મુકામે યુવા નેતા યુવરાજસિંહ જી જાડેજા દ્વારા જન સભાને સંબોધિત કરવામાં આવી જેમાં ઉપરોક્ત સંગઠનના વ્યક્તિઓ ઉપરાંત મનુભાઈ પુજાભાઈ પટેલ ( ડેપ્યુટી સરપંચ ) પ્રભુદાસભાઈ લખભાઇ પટેલ ખેમભાઇ ભીખાભાઇ વણકર , પ્રવીણભાઈ મનુભાઈ પટેલ , મકવાણા હરીશભાઇ નવનીતસિંહ મકવાણા પ્રકાશસિંહ , હર્ષદભાઈ પટેલ કાળુસિંહ પરમાર , જયંતિલાલ કાલિદાસ રાઠોડ વગેરે વિવિધ ગામોના સામાજિક લીડરો તેમજ વિપુલ પ્રમાણમા માનવ મહેરામણ ઉપસ્થિત રહ્યા હતા . યુવરાજસિંહ જી જાડેજા તેમજ જયદીપ સિંહ ચૌહાણ દ્વારા લોકોને આમ આદમી પાર્ટી ના દિલ્લી અને પંજાબ ના વિકાસના કર્યો થી વાકેફ કર્યા .તેમજ તમામ કાર્યક્રમ નું સંચાલન નરેન્દ્રસિંહ શિવસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here