છોટાઉદેપુર, ચારણ એસ વી :-
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં છોટાઉદેપુર જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવામાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત ઓદ્યોગિક તાલીમ સંસ્થા, નસવાડી દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં ઓદ્યોગિક તાલીમ સંસ્થા, નસવાડીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને નસવાડીના લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. ઓદ્યોગિક તાલીમ સંસ્થા, નસવાડીના આચાર્યશ્રી રાઠવા તેમજ સ્ટાફ દ્વારા રેલી આયોજન કરવામાં આવ્યું હતું.