મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
૧૭ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ મોડાસા ભા.મા. શા હોલ ખાતે યોજાશે કેમ્પ. કેમ્પમાં જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએથી ૩૦,૧૬૨ PMJAY કાર્ડની વહેંચણી કરવામાં આવશે
અરવલ્લી જિલ્લા કક્ષાનો “પી. એમ.જે.એ. વાય.-મા”પી. વી. સી. કાર્ડ વિતરણ કેમ્પ,૧૭ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ મોડાસા ભા.મા.શા હોલ ખાતે યોજાશે. અરવલ્લી ખાતે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી માનનીય મંત્રીશ્રી (આપતિ વ્યવસ્થાપન કાયદા અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોના )ની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાશે.
અરવલ્લી જિલ્લામાં PMJAY ૨,૯૩,૩૧૩ લાભાર્થીના કાર્ડ બનાવી આપેલ છે,અને આ કેમ્પમાં જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએથી ૩૦,૧૬૨ PMJAY કાર્ડની વહેંચણી કરવામાં આવશે.
PMJAY યોજના દરેક માટે ખુબજ સફળ સાબિત થઈ છે.ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને કેશલેસ આરોગ્ય સેવાઓ અને સારવાર મળે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.