બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલી તાલુકાના વણઘા,અથવાલી,મોટા અમાદરા,ફેરકુવા,કોસીંદ્રા,કુંદનપુર અને કડાછલામાં ભાજપાના કાર્યકરો દ્વારા કુપોષિત બાળકોને નંદઘરમાં જઈને કીટોનું વિતરણ કર્યું હતું.નાના બાળકોના માતાપિતાને કુપોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન છોટાઉદેપુર જિલ્લા મીડિયા સેલના કન્વીનર પરિમલ પટેલે આપ્યું હતું.કુપોષિત બાળકોને રોજિંદા આહારમાં સમતોલ આહાર આપી આંગણવાડી બહેનોના માર્ગદર્શન હેઠળ બાળકોની સ્વાસ્થ્ય ચકાસણી કરાવવા પર ભાર મુકવા અંગે છોટાઉદેપુર જિલ્લા મંત્રી સ્નેહાબેન તડવીએ કુપોષિત બાળકોના માતાપિતાને જણાવ્યું હતું.કુપોષિત બાળકોના માતાપિતા સહીત આગેવાનોએ પોતાના વિસ્તારમાં કુપોષિત બાળકો અંગે જાગૃતિ લાવી કુપોષણમાંથી બાળકોને મુક્ત કરવાના સંકલ્પ લીધા હતા.બોડેલી તાલુકાના ચલામલી પીએચસીમાં વિવિધ ગામોના ૧૪ કુપોષિત બાળકોના માતાપિતાને કીટો અર્પણ કરવામાં આવી હતી.આ કીટોના વિતરણમાં છોટાઉદેપુર જિલ્લા મંત્રી સ્નેહાબેન તડવી,જિલ્લા મીડિયા સેલ કન્વીનર પરિમલ પટેલ,જિલ્લા કિસાન મોરચા કોષાધ્યક્ષ ઉત્પલ પટેલ,બોડેલી તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત,નવાટિમ્બરવા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ રમણભાઈ નાયક,શૈલેષભાઇ તડવી સહીત કાર્યકરો ઉપસ્થિત રહી કીટોનું વિતરણ કર્યું હતું.