બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલ અને પ્રેરણાથી સમગ્ર ભારતમાં પ્રત્યેક ચૂંટાયેલ જનપ્રતિનિધિ સહીત નાગરિકોને એક કલાક સ્વચ્છતાનું શ્રમદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી તે અંતર્ગત બોડેલી તાલુકાના અ લીખેરવા બસ પોર્ટ,ઢોકલીયા ગ્રામ પંચાયત,અલીપુરા ચાર રસ્તા અને તાલુકા પંચાયત કચેરીમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીની હાજરીમાં સ્વચ્છતા હી સેવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ બસ પોર્ટ,ઢોકલીયા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયતમાં સ્વચ્છતા કરી એક કલાક શ્રમદાન કર્યું હતું.જેમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો શીતલકુવરબા,તાલુકા ભાજપા પ્રમુખ કાર્તિક શાહ,મહામંત્રી પુસ્કર પટેલ,શિવ મહારાઉલ સહીત તાલુકા,જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ બોડેલી ST ડેપો મેનેજર સહદેવ, પી,વસાવા પણ આ કાર્યક્રમ મા જોડાઈને શ્રમદાન કર્યું હતું.