બોડેલીમાં ચોરટાઓનો આતંક… અલીખેરવા રોડ પર આવેલી ગોવર્ધન સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સહિત કુલ 1,10,400 રૂપિયાનો સફાયો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી ના અલીખેરવા રોડ પર આવેલી ગોવર્ધન સોસાયટી માં પરિવાર પોતાના વતન ગયો હતો ત્યારે જ તસ્કરો એ ઘરનુ તાળું તોડીને અંદર પ્રવેશીને કબાટ માં મૂકેલા સોના ચાંદી ના દાગીના અનેં રોકડ સહિત કુલ 1,10,400 રૂપિયા ની મતા ની ચોરી થયા ની પોલીસ ફરિયાદ થતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોડેલી નીગોવર્ધન સોસાયટી માં રહેતા અને જબુગામ આઈ ટી આઈ માં સુપરવાઈર ની ફરજ બજાવતા મહેન્દ્ર ભાઈ રાઠવા તા.6 ની સાંજે વતન ઝોઝ લગ્ન પ્રસંગે ગયા હતા.પત્ની ત્રણ દિવસ અગાઉ ગયા હતા.ત્યારે બંધ ઘર ને તસ્કરો એ નિશાન બનાવ્યું હતું. લગ્ન માણી ને બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે તાળું તૂટેલું હતું.અંદર સામાન વેર વિખેર હતો અને કબાટ માંથી સોના ચાંદી ના દાગીના અને રોકડ સહિત એક લાખ દશ હજાર અને ચારસો રૂપિયા ની મતા ની ચોરી થઈ હતી.બંધ મકાનો ને તસ્કરો નિશાન બનાવતા હોવાથી પોલીસ માટે તસ્કરો પડકાર રૂપ બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here