બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
મળતી માહિતી મુજબ બોડેેલી માં ગઈકાલે સમી સાંજે શાંતિપૂર્ણ વિસર્જન થઈ ગયું હતું ત્યારે ગણપતિ વિસર્જન કરીને પાછા ફરતા ટેકટર ઉપર અજાણ્યા લોકો દ્વારા જૂની બોડેલી કેનાલ પાસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર પથ્થર તેમજ પાઇપો વડે હુમલો કરવામાં આવ્યું હતું ત્યારે 5થી 6 જણાને માથામાં તેમજ હાથમાં ઇજા થઇ હતી ત્યારે ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્ટેશન નો કાફલો ત્યાં દોડી ગયો હતો અને ઈજા થયેલા વ્યક્તિઓને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સરવૈયા સાહેબ તેમજ બોડેલી પોલીસ સ્ટાફ આ પથ્થર મારનાર ઇસમો તેમજ પાઇપ માર નાર ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ઈજા પામનારને મુકેશ કાંતિ બારીયા તેમજ અર્જુન સોમા બારીયા અને ચિરાગ રમન બારીયા તેમજ સુનિલ રમન બારીયા અને અક્ષય બારીયા રહે છોટા નગર બોડેલી તેઓ હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે છે.