બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલીના જબુગામમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે તૈયારીઓ, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. બોડેલી તાલુકાના જબુગામ સહિત વિસ્તારમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હજરત મોહમ્મદ પયગંબર સાહેબ(સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી માં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઈદે મિલાદના તહેવારને લઈ ધાર્મિક સ્થળો, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે.
ઇદે મિલાદ નિમિતે બોડેલી જબુગામ માં ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે
તેમજ “સરકાર કી આમદ મરહબા”, “જશને મિલાદુનનબી”ની ઝંડીઓ લગાવવામાં આવી રહી છે. આ પર્વ પ્રસંગે રબીઉલ અવલના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખ્વાની,તકરીર તેમજ ન્યાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે. આમ ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.