બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલી માં ટ્રાફિક સમસ્યા નીરવવા માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
આર.કે.ભગોરાએ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર , બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી એસ.ટી ડેપોથી ૧૦૦ મીટર આજુ બાજુનો વિસ્તાર, બોડેલી અલીપુરા ચોકડીથી રોડની ૧૦૦ મીટરની આજુબાજુના વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ હુકમ એમ્બ્યુલન્સ તથા ઇમર્જન્સી સેવાના વાહનો, ફાયર સેફટીના વાહનો, રસ્તા કે ઇલેકટ્રીસીટી રિપેરિંગના વાહનો, સરકારી બસ તથા અન્ય સરકારી વાહનો જેઓને ફરજના ભાગરૂપે તે સ્થળે જવાની ફરજ હોય તેને લાગુ પડશે નહિં.
આ હુકમ તા. ૩૦/૦૫/૨૦૨૩થી તા. ૨૯/૦૬/૨૦૨૩(બંને દિવસો સહિત) અમલમાં
રહેશે.