કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નાં બાકરોલ ગામ ના યુવાને પાવાગઢ ની યુવતી સાથે પ્રેમ થઈ જતા બન્ને ભાગી ગયા હતા જેના કારણે છોકરીના સગાસંબધીઓ એ યુવકની માતા લીલાબેન અને ગામના પુર્વ સરપંચ સુભગસિહ નું અપહરણ કરેલ જે બાબતે કાલોલ પોલીસે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરી છ આરોપીઓ ની અટકાયત કરી હતી આજ રોજ શનીવારે પોલીસે આ અપહરણ કેસ મા સંડોવાયેલા બીજા ચાર આરોપીઓ ને હસ્તગત કરેલ છે જેમા રાજેન્દ્રભાઈ કનુભાઈ રાઠવા રે. પાવાગઢ, રમેશભાઈ તેરસિંહભાઈ રાઠવા નાથકુવા, નરેશભાઈ કાનજીભાઈ રાઠવા રે પાવાગઢ, શૈલેષભાઈ માવાભાઈ રાઠવા રે પાવાગઢ એમ ચાર ને હસ્તગત કરતા કુલ મળીને દશ આરોપીઓ ને હસ્તગત કરેલ છે.