પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કોરોના મહામારી અને કમર તોડ મોંઘવારી ના કારણે સામાન્ય જનતાનું આર્થિક જીવન ધોરણ સંકટમાં મુકાયું છે ત્યારે સરકાર વિજળીનો દર ઘટાડે: દિનેશ બારીઆ

ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય જનતા અને ખેડૂતોને વિજળી બિલ માં રાહત આપે, વિજળી યુનિટના દરમાં ઘટાડો કરે તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાએથી માન. જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વિજળીનો યુનિટ દર સૌથી ઉંચો છે. લોકો ભાજપ સરકારની અયોગ્ય નિતીનો ભોગ બની રહ્યા છે અને મોંઘી વિજળી દર ચૂકવી રહ્યા છે. સરકાર તમામ ક્ષેત્રોને ખાનગી કરણ કરી છે. વિજળી ઉત્પાદન કરતા સરકારી સાહસો યુનિટો બંધ કરી ખાનગી એકમો ઉભા કર્યા છે તેથી સરકાર ખાનગી એકમોના દબાણમાં છે. વર્ષ ૨૦૦૭ માં ૨૫ વર્ષ માટે ખાનગી એકમો સાથેના કરાર આધારિત નક્કી કરેલા વિજળી યુનિટ દરને બાજુ ઉપર રાખી ખાનગી એકમો ના દબાણમાં આવી સમાયાન્તરે વિજ દરમાં વધારો કરી રહી છે જે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિજળી દર સસ્તો કરવાની માંગ સાથે આજ રોજ જિલ્લા કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા વિજળી દર સસ્તો કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગામે ગામ પદયાત્રા કરવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે કે આપણા રાજ્યમાં સૌથી મોંઘી વિજળી આ સરકાર આપણને આપી રહી છે તથા મશાલ યાત્રા પણ કાઢવામાં આવશે અને વિજળીના બિલોને એકત્રિત કરી ફાડવામા આવશે તેમ જણાવ્યું હતું.
આજની આ પ્રેસ કોન્ફરન્સ અને આવેદનપત્ર આપવા માટે જિલ્લામાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, પ્રદેશ વેપારી સચિવ દયાલ આહુજા, ગોધરા વિધાનસભા ના સંગઠન મંત્રી મયંક પટેલ, અજય વસંતાની, રાજુભાઈ પટેલ તથા પાર્ટીના કાર્યકરો મનોજભાઈ જોષી, કૃણાલ ચૌહાણ, આશિષ કામદાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here