ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન જન આંદોલનના પરિણમતા વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળો ખાતે આવેલ મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈ કરાઈ છે.ગોધરા શહેરમાં આવેલ મહારાણા પ્રતાપ,બાબા સાહેબ આંબેડકર,સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ સફાઇ કરવામાં આવી હતી. ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકની સાફ સફાઈ હાથ ધરાઇ હતી.