પંચમહાલ : ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામમાં બાળલગ્ન થતું અટકાવતા રાજગઢ પી.આઈ ગોહિલ સાહેબ…

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામમાં બાળ લગ્ન થઈ રહીયો હોવાની ત માહિતી રાજગઢ પી. આઈ. આર.આર ગોહીલ સાહેબ નાઓને મળતા ગોહિલ સાહેબ અન્ય પોલીસ સ્ટાફ સહિત ઝોઝ ગામ ખાતે પોહચી ગયા હતા, અને સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધોરણ 7 માં અભ્યાસ કરતી બાળકી સાથે લગ્ન કરવામાં આવી રહીયુ છે ત્યારે છોકરી અને છોકરાવાળા એમ બન્ને પક્ષોને બોલાવી બંને પક્ષો પાસે લેખીતમાં લખાણ લખાવી બાંહેદારી લેવામાં આવી કે જ્યાં સુધી છોકરી 18 વર્ષની અને છોકરો 21 વર્ષનો ના થાય ત્યાં સુધી લગ્ન કરવું કે કરાવવું નહીં જો પુખ્ત વય પહેલા લગ્ન કરવામાં આવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું લેખીત લખાણ લઈ મામલો થાળે પાડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here