નસવાડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ની બદલી થતા વિદાય સંભારંભ યોજાયો…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

વેપારી મંડળ થી લઈ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

નસવાડી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ સી ડી પટેલ ની બદલી થતા નસવાડી પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સંભારભ રાખવામાં આવ્યો હતો.પટેલ સાહેબ બે વર્ષ થી નસવાડી ખાતે પી એસ આઈ તરીકેની ફરજ બજાવતા હતા જેમની બદલી નર્મદા જિલ્લા માં થતા વિદાય આપવામાં આવી છે અને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે વિદાય નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અને આ વિદાય સંભારંભ મા નસવાડીના નગરજનો તથા વેપારી વર્ગ રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા અને વેપારી વર્ગ તથા પોલીસ સ્ટાફ તથા પત્રકારો દ્વારા ભેટ સોગાતો આપી વિદાય કાર્યક્રમ થયો હતો જેમાં ગ્રામજનો અને વેપારી વર્ગ અને પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી હાર ફેરવી શ્રીફડ આપી સાલ ઓઢાડીને પી એસ આઈ સી ડી પટેલ સાહેબ નો સન્માન કરવામાં આવ્યુ હતું અને વિદાય સંભારાંભ માં મોટી સંખ્યામાં નગરજનો અને વેપારી વર્ગ તથા આજુ બાજુ ના વિસ્તારના લોકો અને ડુંગર વિસ્તારના પણ અગ્રગણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગ દરમિયાન પી એસ આઈ ની આંખો ભીની જોવા મળી હતી અને પોલીસ સ્ટાફની પણ આંખો માં નમી દેખાઈ રહી હતી અને ખાસ પી એસ આઈ નું સન્માન પત્રકારો દ્વારા પણ કરવામાં આવ્યુ હતુ અને તમામ હજર લોકો અગ્રણીઓ એ ભાવભીની વિદાય આપી હતી આ કાર્યક્રમ મા ડી એફ પરમાર ગોપાલસિંહ રાજુભાઈ રાઠવા નસવાડી રાજવી પરિવારના ઘનશિયામસિંહ સોલંકી ગામના આગેવાન એવા સુભાષભાઈ પંડ્યા વગેરે હાજર રહી નસવાડી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ને વિદાય આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here