નસવાડી નટવર નગરના અવાવરૂ કુવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી નટવર નગરના કુવા માંથી મૃતદેહ છે એવી ચર્ચાઓ સાંભળતા ત્યાં લોકોના ટોળા ઉમટ્યા હતા જેની જાણ પોલીસ ને થતા સ્થળ પર પોલીસ પણ આવી પોહચી હતી જેમાં મૃતદેહ ને કુવા માથી બહાર કાઢવા માટેના સુરક્ષિત સાધન સામગ્રી લઈ પોલીસ કુવા પાસે પોહચી હતી અને ત્યાં દોરડા વાંસના લાકડા સેફટી કવર વગેરે સાધનો લઈ ઘણી મહેનત બાદ સફળતા મળી હતી અને મૃતદેહ ને બહાર કાઢવા માટે ગામલોકો એ પણ મદદ કરી હતી મૃતદેહ કાઢવામાં લગભગ બે થી અઢી કલાક જેટલો સમય લીધો અને જ્યારે મૃતદેહ બહાર કાઢી ઓળખમાં આવ્યું કે મરનાર વ્યક્તિ નસવાડી નો હોવાનું બહાર આવ્યું છે જે નામે રાહુલ રમેશ નામનો વ્યક્તિ હોય એવું જાણવા મળેલ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે અને આ ઘટના બની છે તે વ્યક્તિ થોડા સમય થી લાપતા હતી અને નસવાડી માં વાયુવેગે ચર્ચાઓ ચાલી હતી કે રાહુલ કેટલાક દિવસથી ગમ થયેલ છે પરંતુ નટવર નગર ના અવાવરૂ કુવા માંથી તેમનો મૃતદેહ મળી આવેલ છે અને ગામલોકો પણ ત્યાં આવી પોલીસ ને મૃતદેહ કાઢવામાં મદદ કરી એક ઉદાહરણ પુરૂ પાડયુ છે અને પોલીસે પણ ઘણી જહેમત ઉઠાવી હતી અને ગામલોકો અને પોલીસ ભેગી થઈ ને મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધારીછે અને પોલીસ અને ગ્રામજનો તસ્વીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here