નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
46 ગ્રામ પામચાયત ની ચૂંટણી ના ફોર્મ ભરાઈ ને તમામ પ્રક્રિયાઓ સમાપ્ત થઈ ગઈ પરંતુ નસવાડી તાલુકાની તરોલ જૂથ ગ્રામ પંચાયત ના વોર્ડ સભ્ય તરીકે કરેલ ઉમેદવાર નું અવસાન થયું છે કેને લઈ રણબોર ગામ અને આખા તરોલ માં શોક છવાય ગયો છે પણ હવે કુદરત ને ગમ્યું તે ખરૂ અને એમનું વહેલી સવારે અવસાન થયું હતું ઉમેદવારી પત્ર ભરેલ ઉમેદવાર જે નામે ફુગરિયાભાઈ આરસીભાઈ ડું ભીલ ઉ વર્ષ 22 વોર્ડ 8 તરોલ જૂથ ગ્રામ પંચાયત ના રણબોર ગામ થી વોર્ડ સભ્ય નુ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને અચાનક મોત થતા તાલુકા નું વહીવટી તંત્ર પણ ઉમેદવારની ચૂંટણી ને લઈ મૂંઝવણ માં મુકાયું છે મરણ જનાર સામે એકજ હરીફ ઉમેદવાર ચૂંટણી જંગ ને લઈ અધિકારીઓ પણ મૂંઝવણ માં મુકાયા છે.