નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી નગરના ચારરસ્તા વિસ્તારના સોની બજરમાં કે માર્ટ નું ઉદઘાટન આપણા વિસ્તારના સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે જેનો લાભ નસવાડી ગામ તથા તાલુકાના દરેક ગામના લોકોને મળશે ભાજપ ના લઘુમતી સેલ ના જિલ્લા મંત્રી શ્રી અલ્તાફ ભાઈ કુરેશી અને લિયાકત રાજા એ “કે માર્ટ “ની શરૂઆત કરી છે જેમાં લોકોને હવે મોલ માં જવાની જરૂર નહીં પડે અને આપણા નસવાડી મા મોલ નો આનંદ મેળવશે ખરીદી માટે જે લોકો મોલ નો આગ્રહ રાખતા હતા એ લોકો હવે નસવાડી માં મોલ ની સુવિધા ભોગવશે અને આપણા તાલુકામાં પહેલીવાર મીનીમોલ ખુલ્યું છે તો હવે બહારગામ જવાની જરૂર નથી જીવન જરૂરિયાત થી લઈ કોસ્મેટિક ઠંડા પીણાં દરેક ચીજ વસ્તુઓ “કે માર્ટ”માં ઉપલબ્ધ છે જેનો આનંદ લેવા તાલુકાના આજુ બાજુ ગામના દરેક વ્યક્તિઓ ને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જેમાં ભાજપ ના છોટાઉદેપુર જિલ્લા ના મહામંત્રી ડી,એફ પરમાર સાહેબ જાવેદભાઈ કુરેશી દિનેશભાઈ તીરંદાજ ઝુબેરભાઈ કુરેશી જશુભાઈ ભીલ જાવેદભાઈ મેમણ બબલુભાઈ મેવાસી ફિરોજભાઈ પઠાણ નસવાડી તાલુકાના મહા મંત્રી અનિલભાઈ શાહ મુસ્લિમ સમાજના પ્રમુખ શહીદભાઈ શેખ સંજયભાઈ ડબગર પત્રકાર ઈરફાનભાઈ મેમણ વગેરે મહાનુભવોએ હાજરી આપી હતી અને “કે માર્ટ” નું સંસદ સભ્ય ગીતાબેન રાઠવા એ રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.