નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
“હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી”
આજરોજ નસવાડી એસ.બી.સોલંકી વિદ્યા મંદીર ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા યોગ નો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા અને આ યોગ દિવસ ને નવમો વિશ્વ યોગ દીવસ તરીકે માનવામા આવેછે જેને આખા વિશ્વ એ સ્વીકાર્યું છે અને આ દિવસે લોકો ખાસ યોગના કાર્યક્રમો મા હાજર રહેછે અને આપના વડા પ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ યોગ ને ઘણુ મહત્વ આપ્યુ છે અને આજે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નસવાડી હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી જેમા ટી.ડી.ઓ ત્રિવેદી સાહેબ તથા મામલતદાર બારીયા સાહેબ તથા પી.એસ.આઈ સુતરીયા સાહેબ તથા ભાજપ જીલ્લા મંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર તથા તા.પં. પ્રમુખ રાજુભાઈ રાઠવા ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તથા અન્ય સંસ્થાઓ નો સ્ટાફ તથા સરકારી તમામ શાખાઓનો સ્ટાફ ગ્રામજનો વડીલો વિદ્યાર્થીઓ આગેવાનો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહી યોગ કર્યા હતા આ રીતે નસવાડી ખાતે વિશ્વ યોગ દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી.