નસવાડીમા નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયાઓ મોજમા…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીમા દરેક વિસ્તારમાં ખેલૈયાઓ ચરમસીમાએ પહોંચ્યા

નવરાત્રી ના છેલ્લા દિવસે ખેલૈયાઓ ની ભીડ જામી હતી સાથે સાથે ગરબા જોવા વાળાઓની પણ ભીડ જોવા મળી હતી નસવાડી ના દરેક વિસ્તાર મા શેરી ગરબા ના આયોજન મા ગરબા રમનારાઓ એ ગરબા રમવાની મજા માણી હતી.
નવરાત્રી નો ઉત્સવ લોક ડાઉન ના કારણે છેલ્લા બે વર્ષ થી ગરબા રસિયાઓમાં નારાજગી જોવા મળી હતી પણ આ વર્ષે શેરી ગરબાનું આયોજન થતા ગરબા રસિયાઓમાં ખુશી જોવા મળી હતી નસવાડી ના સરકાર ફળિયા ચાર રસ્તા શેઠ શેરી પોલીસ સ્ટેશન અયોધ્યા નગર ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના કારણે ગરબાના રસિયાઓ માં આંનદ ની લાગણી જોવા મળી હતી કોરોના ની બીમારી ને લઈ ખેલૈયાઓએ હવે આવી મહામારી આવેજ નહીં અને જે થોડી ઘણી બીમારી છે એ પણ સંપૂર્ણ પણે નષ્ટ નાબૂદ થઈ જાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી , આગામી વર્ષો માં બધાને સુખ સમૃધ્ધિ પ્રાપ્ત થાય અને આગામી વર્ષોમાં આવી કોઈ બીમારી આવે નહી જેના કારણે પ્રજા હેરાન ન થાય આ રીતે આરતી કર્યા પછી પ્રાર્થના કરવામાં આવી હતી અને આરતી કર્યા બાદ ગરબા ની રમઝટ જામી હતી અને ખેલૈયા ખૂબ મન મુકીને ગરબા રમ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here