નસવાડીમા ઈદે મીલાદ પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી નુરાની મસ્જિદ સરકાર ફળીયા થી ઝુલુસ કાઢી કવાંટ રોડ સુધી લઇ જવામાં આવ્યુ હતુ
આજે ગણપતિ વિસર્જન પણ છે તેના માટે પહેલા ઝુલુસ નીકળ્યુ હતુ અને ત્યારબાદ ગણપતિ વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
નસવાડી એટલે એકતાનુ પ્રતીક ગણવામાં આવેછે જેમા બન્ને કોમ ના લોકો એક બીજાના તહેવારમાં સહભાગી બને છે અને સાથે મળી બન્ને તહેવારોની ઉજવણી કરેછે
જુલુસ મા મુસ્લિમ બિરાદરો દ્રારા ઠેર ઠેર નીયાઝ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા નાના બાળકોને ઘણો આનંદ મળેછે
જુલુસ મા વડીલો યુવાનો અને નાના નાના બાળકો જોડાયા હતા
આજે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ નો તહેવાર સાથે હોય બન્ને તહેવાર શાંતી પુર્ણ માહોલ મા ઉજવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યુ હતુ
ઈદે મિલાદ નુ જુલુસ શાંતિપૂર્ણ રીતે ઉજવાયૂ હતુ અને તહેવારની ઉજવણી ધામધૂમ થી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here