નસવાડી,(છોટા ઉદેપુર) જાવેફ એન કુરેશી :-
દારૂ તંબાકુ પડીકીને લઈ સમજણ આપવામાં આવી
નસવાડી ના તણખલા ગામે સમજો તો સારૂ નામનુ નાટક સરપંચ સહિત ગામલોકો એકત્રીત થઈ નાટક ને જોવા માટે ભેગા થયા હતા અને નાટકમાં નશો કરવાથી થતા નુકશાન વિશે જાણકારી આપી હતી જેમાં શારીરિક થતા નુકશાન આર્થિક રીતે થતા નુકશાન અને માનસીક રીતે થતા નુકશાન વિશે ડીપ મા સમજાવવામાં આવ્યા હતા અને નાટક ભજવવાના જે કલાકારો છે એ અમદાવાદ ના હીરાલાલ પરમાર પરેશ નાલ ઇન્દિરા સોલંકી હર્ષદકુમાર અને નશાબંદી ના આવકારી વિભાગના કોન્સ્ટેબલ નિલેશભાઈ જોશી પણ હાજર રહ્યા હતા અને તણખલા ના સરપંચ જેન્તીભાઈ પણ નાટક કાર્યક્રમમા હાજરી આપી હતી અને નાટક ને સફળ બનાવ્યો હતો.