રાજપીપલા,(નર્મદા)
સતીશ કપ્તાન
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦ માં SSC બોર્ડની પરીક્ષાઓ લેવાયેલ હતી જે પરીક્ષામાં રાજપીપલા ખાતેથી શ્રી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતી શ્રી અઢારગામ માછી સમાજની દીકરી એવી મોક્ષાબેન અક્ષયકુમાર કપ્તાને ૯૮.૯૯ પી.આર મેળવી રાજપીપલાની શ્રી જય અંબે વિદ્યાલય સહીત રાજપીપલા નગર અને શ્રી અઢારગામ માછી સમાજનું ગૌરવ વધાર્યું છે જેને લઈને રાજપીપલા નગરના સભ્ય નાગરીકો અને શેક્ષણિક તજજ્ઞો સહીત શ્રી અઢારગામ માછી સમાજનાં અગ્રણીયોએ શુભેચ્છા પાઠવી હતી.