રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
આજરોજ સરદાર સરોવર નર્મદા ડેમ ભયજનક સપાટી 138.68 વટાવી ઓવર ફલો થયો ત્યારે રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા નદી ના નીર નાં વધામણાં કરવા આવ્યાં હતાં.
એકતાનગર (કેવડીયા કોલોની) ખાતે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૧૪૬.૫ મીટરની ઊંચાઈએ આવેલા પોઇન્ટ પરથી સરદાર સરોવર જળાશયનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે એક ફોટોગ્રાફર અસલામત પાળી પર ચડીને એમનો ફોટો લઈ રહ્યો હતો.
એ જોઈને મુખ્યમંત્રી એ તુરત જ ખૂબ પ્રેમપૂર્વક એમને નીચે ઉતરી સલામત જગ્યાએથી ફોટો લેવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્નેહ મિશ્રિત ચિંતા સાથે કહ્યું હતું કે ” ભાઈ, મને તમારી સુરક્ષાની ચિંતા થાય છે.”
મુખ્યમંત્રી ની આ સંવેદનશીલતા ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી.