નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે હવાલો સંભાળતાં શ્રી પી.ડી.પલસાણા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાત મેરીટાઈમ બોર્ડમાથી સીધી નર્મદા જીલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી

ગુજરાત મેરીટાઇમ બોર્ડ-ગાંધીનગરના ખાસ ફરજ ઉપરના અધિકારીશ્રી પી.ડી.પલસાણા (IAS) ની રાજય સરકાર દ્વારા તાજેતરમાં નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે બદલી સાથે નિમણૂંક થતાં શ્રી પી.ડી.પલસાણાએ ગત તા. ૧૧ મીને મંગળવારના રોજ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે.

સને ૧૯૯૬ માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગ વર્ગ-૧ માં સીધી ભરતીથી પસંદગી પામીને અમરેલી ખાતે નાયબ કલેકટર તરીકેની સેવાઓમાં પ્રોબેશનર તરીકે જોડાઇને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી પી.ડી.પલસાણાએ રાજકોટ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં નાયબ કલેકટર તરીકે તેમજ અમદાવાદમાં સ્પીપામાં નાયબ નિયામક તરીકેની સેવાઓ દરમિયાન તેમણે નોંધપાત્ર ઉત્કૃષ્ટ કામગીરી બજાવ્યા બાદ સને ૨૦૧૩ માં અધિક કલેકટર તરીકે બઢતી મેળવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રી તરીકે સને ૨૦૧૯ સુધી સેવાઓ આપી હતી. ત્યારબાદ તેઓશ્રીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ-ગાંધીનગરમાં ખાસ ફરજ ઉપરના અધિકારી તરીકેની ફરજો દરમિયાન ઓકટોબર-૨૦૨૦ માં શ્રી પી.ડી.પલસાણાની (IAS) તરીકે નિયુકિત થઇ હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી પી. ડી. પલસાણાએ તેમની રાજકોટ જિલ્લાની ફરજો દરમિયાન સને ૨૦૦૧ ના ભૂકંપ સંદર્ભે વાંકાનેર ખાતે રાહત-બચાવની તેમજ ભાવનગર જિલ્લાની ફરજો દરમિયાન અછત-રાહતની તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સેવાઓ દરમિયાન વર્ગ-૩ ના કર્મચારીઓની ભરતીમાં પરીક્ષાલક્ષી કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here