નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયતના ભાજપા સદસ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જે પાર્ટી માં સક્રિય હોઈએ એ પાર્ટી માટે વફાદારી અને સન્માન હોવા જોઈએ – અશોક ધોરાજીયા

ગાંધી પરિવારે દેશ માં કરેલા ગોટાળા ઓ ના ભાજપા પ્રશિક્ષણ વર્ગ માં પાઠ ભણાવાયા

સમગ્ર ગુજરાત માં ભાજપ નો ડંકો વાગ્યો છે ત્યારે ભાજપ ના સદસ્યો ને દર વર્ષે પ્રશિક્ષણ આપવામાં આવે છે જે સંદર્ભે નર્મદા જિલ્લા તાલુકા પંચાયત ના ભાજપ ના 66 સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો . આ પ્રશિક્ષણ વર્ગ નો શુભારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગીત થી કરવામાં આવ્યું ઉદ્ઘાટન સત્ર માં પ્રશિક્ષણ વર્ગ ના કન્વીનર ડૉ.પ્રકાશચંદ્ર પટેલ,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અશોકભાઇ ધોરાજીયા, નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા.

પોઇચા સ્વામિ નારાયણ મંદિર ખાતે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગ માં 4 સત્ર લેવામાં આવ્યા હતા ,પહેલું સત્ર પ્રશિક્ષણ વર્ગ ના કન્વીનર ડો.પ્રકાશચંદ્ર પટેલ એ લીધું હતું જેમાં ભાજપ નો વિચાર અને પરિવાર વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ગાંધી પરિવારે દેશ સાથે કરેલા ઘોટલા ઓ અને ભાજપ ના મુખ્ય નેતાઓ નું કોંગ્રેસ દ્વારા કરેલા અપમાન વિશે જણાવ્યું હતું.

બીજું સત્ર કુશળ જનપ્રતિનિધિત્વ વિશે પ્રદેશ કારોબારી સભ્ય અશોકભાઈ ધોરાજીયા એ લીધું હતું તેમણે જણાવ્યું કે જનપ્રતિનિધિ એ માત્ર ચૂંટણી પૂરતું જ લોકોને મળવાનું નહિ રાખવું જોઈએ અઠવાડિયામાં એક વાર પોતાના બુથ માં જઈ ને મળતા રહેવું જોઈએ જેથી લોકો ની સમસ્યા વિશે માહિતી મળતી રહે અને તેમની સમસ્યાઓ નું નિરાકરણ પણ લાવી શકાય.જનપ્રતિનિધિ તરીકે પોતાનું શુ કામ છે તે જાણવું ખૂબ જરૂરી છે.અહીં બેઠેલા લોકો એ એવું માની લેવાની જરૂર નથી કે કાયમ માટે તેમને જ ટીકીટ મળશે, પણ ભાજપ માં સખત મહેનત અને સંઘર્ષ કરનાર કાર્યકર્તા ઓ ની હંમેશા કદર કરવામાં આવે છે. ડો.દર્શનાબેન દેશમુખ નું ઉદાહરણ આપી અશોકભાઈ ધોરાજીયા એ કહ્યું કે રાજકારણ માં ધીરજ પણ રાખવી પડે છે.

ડિસેમ્બર ના અંત સુધી માં સમગ્ર ગુજરાતમાં ભાજપ ના ચૂંટાયેલા સદસ્યો ને પ્રશિક્ષિત કરવામાં આવશે.ભાજપ માં નાના કાર્યકરો ની કદર થતી હોય છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિચારે છે કે પાર્ટી માટે કામ કરતા નાના માં નાના કાર્યકરો ને તક આપવી છે.જનપ્રતિનિધિ એ પોતાના મતદારો માટે કામ કરવું જોઈએ જનપ્રતિનિધિએ લોકો નો વિશ્વાસ જીતવો પડે.જનપ્રતિનિધિ ની મૂળભૂત ફરજ એ છે કે નાના માણસો ની મદદ કરવી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની યોજનાઓ નો લાભ અપાવવો જોઈએ.

જ્યારે ત્રીજા સત્ર માં રાજ્ય સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ ના મંત્રી કુંવરજી દ્વારા લેવામાં આવ્યું આ સત્ર માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ખાસ પી એમ જે વાય કાર્ડ દરેક લોકો ના ઘરે મળી રહે તે ખાસ તાલુકા પંચાયત ના સદસ્યો એ ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ પાસે ના હોઈ તો સદસ્યો એ ધ્યાન રાખી ને કઢાવી આપવું જોઈએ જેથી કોઈ ના ઘરમાં બીમાર હોઈ તો આ કાર્ડ દ્વારા સારવાર લઈ શકે.પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ પણ જેને ઘર ની જરૂરિયાત છે તે લોકો ને માથા પર છત મળી રહે એમાટે અપાવવાજોઇએ.પી એમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયા કેટલા લોકો ને મળે છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ .

છેલ્લા સત્ર એટલે કે ચોથા સત્ર માં અશોકભાઈ ધોરાજીયા એ આખા દિવસ દરમ્યાન યોજાયેલ પ્રશિક્ષણ વર્ગ માં કેટલા સભ્યો એ હાજરી આપી અને પ્રશિક્ષણ વર્ગ માંથી શુ ભાથું લઈને જઈ રહ્યાં છે તેના વિશે સવાલ જવાબ કર્યાં હતા . આ પ્રશિક્ષણ વર્ગ થકી પ્રથમવાર જે લોકો તાલુકા પંચાયત માં ચૂંટાયા છે તેમને ભાજપ શુ છે અને એમની શુ કામગીરી છે તેના વિશે જ્યારે સદસ્ય બન્યા પછી શું કાર્યો કરવાના છે તેના પાઠ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here