ધૈર્યરાજસિંહ રાઠોડ માટે બોડેલી તાલુકાના જબુગામના યુવાનો પણ રસ્તા પર ઉતાર્યા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના ધૈર્યરાજસિંહ રાઠોડ ને એસએમએ – 1 નામની ગંભીર બીમારી છે જેની સારવાર માટે તે બાળકને એક વર્ષની અંદર એક ઇન્જેક્શન આપવાનું છે જેની કિંમત ૧૬ કરોડ છે જેની સારવાર માટે ગુજરાતભરમાં અનેક સ્થળે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામના યુવાનોએ પણ આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કરી જબુગામ પાસે રસ્તા પર ઉભા રહી પસાર થતા વાહનચાલકો પાસેથી યથાશક્તિ રકમ ઉઘરાવી ફંડ એકત્રિત કરી ઉમદા કામગીરી કરી એક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here